સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથાર ધોરણ ૧૦ તથા ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)ગણિત વિષય શ્રેષ્ઠતા રોકડ ઇનામ યોજના

સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથાર ધોરણ ૧૦ તથા ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં ગણિત વિષયમાં શ્રેષ્ઠતા અર્થે ઉત્તિર્ણ વિદ્યાર્થીઓને રોકડ ઇનામની યોજના માટે ધોરણ ૧૦ અને ૧૨ ના ઉત્તિર્ણ વિદ્યાર્થીઓની પ્રમાણિત માર્કશીટ નીચેના સરનામે સાદી ટપાલથી મોકલવા વિનંતી છે.

આ યોજના શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ વડોદરા દ્વારા સંચાલિત છે પણ તે સંપૂર્ણ ચરોતર વૈશ્ય સુથાર સમાજને લાગૂ કરવામાં આવેલ છે. ચરોતર વૈશ્ય સુથાર સમાજના કોઇ પણ વિદ્યાર્થીને આ ઇનામ માટે યોગ્ય ગણવામાં આવશે. આ યોજનામાં ભાગ લેવા માટે શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરાના સભ્ય હોવું જરૂરી નથી. જે વિદ્યાર્થીની માર્કશીટ દરેક વર્ષના જુન મહિનાની ૩૦ તારીખ સુધીમાં આ સંસ્થાને મળશે તેઓને આ ઇનામ માટે નીચેના નિયમો અંતર્ગત ઇનામ માટે યોગ્ય ગણવામાં આવશે. આ યોજના વર્ષ ૨૦૧૫માં લેવાનાર પરિક્ષાઓથી શરુ કરવામાં આવશે અને તે દર વર્ષે જે તે વર્ષ માટે આપવામાં આવશે.

આ યોજના માટેના નિતી નિયમો નીચે મુજબ છે.

• આ ઇનામની પ્રાથમિક યોગ્યતા માટે વિદ્યાર્થી ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ)માં લઘુત્તમ એકંદર ફર્સ્ટ ક્લાસ ગ્રેડ પ્રાપ્ત કરેલ હોવો જોઇએ.
• બીજા અથવા તેથી નીચલા વર્ગમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને આ ઇનામ માટે વિચારણામાં લેવામાં આવશે નહીં.
• ૧૦ અને ૧૨ ધોરણની પરીક્ષા ઇનામ સંબંધિત વર્ષે પસાર કરવામાં આવેલ હોવી જોઈએ. અગાઉના વર્ષના પરિણામ ગણવામાં આવશે નહીં.
• આ ઇનામ ચરોતર વૈશ્ય સુથાર સમાજના સર્વે વિદ્યાર્થીઓ માટે દરેક વર્ષે એનાયત કરવામાં આવશે:

ગણિતના માર્ક ના આધારે પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત ધોરણ ૧૨ ના બે વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૦ ના પ્રથમ અને દ્વિતીય ક્રમ પ્રાપ્ત બે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવશે.

પુરસ્કાર રકમ:

સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઈ સુથારના સુપુત્રો શ્રી અજીતભાઇ તથા શ્રી અરૂણભાઇ તથા શ્રી શૈલેષભાઇ દ્વારા સંસ્થાને મળેલ દાનને ફિક્ષ્સ ડીપોઝીટ્મા મુકેલ છે. વર્ષ દર્મ્યાન મળેલ કુલ વાર્ષિક વ્યાજને, ઇનામ વિતરણ કરવા માટે ૧૨ સરખા ભાગોમાં વહેચવામાં આવશે. ઇનામની વહેંચણી નીચે મુજબ કરવામાં આવશે.

• ધોરણ૧૨ ગણિત માં પ્રથમ ક્રમ (ઇનામ) - વાર્ષિક વ્યાજના ૧૨ ભાગમાંથી ચાર ભાગ.
• ધોરણ૧૨ ગણિત માં દ્વિતીય ક્રમ (ઇનામ) - વાર્ષિક વ્યાજના ૧૨ ભાગમાંથી ત્રણ ભાગ.
• ધોરણ૧૦ ગણિત માં પ્રથમ ક્રમ (ઇનામ) - વાર્ષિક વ્યાજના ૧૨ ભાગમાંથી ત્રણ ભાગ.
• ધોરણ૧૦ ગણિત માં દ્વિતીય ક્રમ (ઇનામ) - વાર્ષિક વ્યાજના ૧૨ ભાગમાંથી બે ભાગ.

વિદ્યાર્થીઓ ક્રમ નક્કી કરવા માટે ની માર્ગદર્શિકા: ૧૦ અને ૧૨ ધોરણ માટે :

જ્યારે પ્રથમ ક્રમ માટે ગણિત માં સમાન ગુણ ધરાવતા એક કરતાં વધુ વિદ્યાર્થી હોય તો પ્રથમ ક્રમ મેળવનાર નક્કી કરવા માટે, ગણિત અને વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર + રસાયણશાસ્ત્ર થિયરી) એકંદર કુલ ગુણ પ્રથમ અને દ્વિતીય ક્રમ નક્કી કરવા માટે ગણવામાં આવશે. આ પણ અન્ય વિષયોમાં વધુ ગુણ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહિત કરશે. ગણિતમાં સમાન માર્ક વાળા માત્ર બે વિદ્યાર્થીઓ જ તકનીકી રીતે પ્રથમ અને બીજા થાય, પરંતુ ગણિત માં સમાન માર્ક સાથે બે કરતાં વધુ વિદ્યાર્થીઓ હોય તો, બાકીના વિદ્યાર્થીઓ પણ સમાન લાયક ગણાય, પરંતુ માત્ર બે ઇનામો, માત્ર પ્રથમ અને દ્વિતીય ઈનામ આપવામાં આવશે. બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. સામાન્ય સંજોગોમાં કુદરતી પ્રથમ અને દ્વિતીય ક્રમાંકને જ ઇનામ આપવામાં આવશે. બાકીના ક્રમાંક વાળા ઇનામને યોગ્ય ગણાશે નહી અને કોઇ આસ્વાસન ઇનામ આપવા માં આવશે નહીં.

પ્રથમ ક્રમ પર માત્ર એક જ વિદ્યાર્થી હોય તો તેને પ્રથમ પુરસ્કાર મળેશે. દ્વિતીય ક્રમ પર જો સમાન ગુણ ધરાવતા બે અથવા વધુ વિદ્યાર્થીઓ હોય તો પછી આ દ્વિતીય ઇનામ પ્રથમ ઇનામ માટે અપનાવેલ પધ્ધતિ મુજબ નક્કી કરવામાં આવશે. દ્વિતીય ક્રમ પર ફક્ત એકજ ઇનામ આપવાનું હોઇ, સરખા માર્ક ધરાવતા હોવા છતાં ઇનામને પાત્ર ના ઠરેલા વ્યક્તિઓને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. જે કિસ્સામાં સરખા ગણિત ના માર્ક વાળા એકથી વધુ વ્યક્તિ હોય અને અને વિજ્ઞાન (ભૌતિકશાસ્ત્ર+ + રસાયણશાસ્ત્ર થિયરી) ના માર્ક સાથે પણ સરખા થાય તો અંગ્રેજી ના માર્ક સાથે લઇને પ્રથમ અને દ્વિતીય ક્રમ નક્કી કરવામાં આવશે. ધોરણ ૧૦ માટે સરખા ગણિતના ગુણ એક કરતાં વધુ હોય તેવા કિસ્સામાં સામાન્ય વિજ્ઞાનના ગુણ સાથે લાઇને પ્રથમ અને દ્વિતીય ક્રમ નક્કી કરવામાં આવશે. આશ્વાસન ઇનામો સંસ્થાના ભંડોળમાંથી આપવાની દરખાસ્ત શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા દ્વારા ભલામણ કરવામાં આવી હતી, પરંતુ સ્વ. શ્રી મોહનભાઇ ડાહ્યાભાઇ સુથારના સુપુત્રો શ્રી અજીતભાઇ તથા શ્રી અરૂણભાઇ તથા શ્રી શૈલેષભાઇ એ, ભવિષ્યમાં આવા સંયોગ છે જો બને ત્યારે આશ્વાસન ઇનામ ની રકમ પણ તેમના તરફથી આપવા માટે સંમતિ દર્શાવેલ છે.

આશ્વાસન ઈનામ ની રકમ નીચે મુજબ રહેશે:

ધોરણ ૧૨: પ્રથમ આશ્વાસન ઈનામ રૂ. ૨૦૦૦/ - વ્યક્તિ દીઠ.
ધોરણ ૧૨: દ્વિતીય આશ્વાસન ઈનામ રૂ. ૧૫૦૦/ - વ્યક્તિ દીઠ.
ધોરણ ૧૦: પ્રથમ આશ્વાસન ઈનામ રૂ. ૧૫૦૦/ - વ્યક્તિ દીઠ.
ધોરણ ૧૦: દ્વિતીય આશ્વાસન ઈનામ રૂ. ૧૦૦૦/ - વ્યક્તિ દીઠ.

ઉપરોક્ત ઇનામોનો હેતુ મૂળભૂત રીતે વિદ્યાર્થીઓની ક્ષમતાને માન્યતા પ્રદાન કરવાનો અને તે મુજબ તેમને લાયક ઇનામો આપવાનો છે. વિદ્યાર્થીઓ વધુ મહેનત કરે અને સારા માર્ક્સ મેળવે જેથી તેમને પસંદગીના વિષયમાં ઉચી ફી ભર્યા વિના અભ્યાસ કરવાની તક મળે.

કોઇ સંજોગોમાં આ ઇનામની રકમ વહેંચ્યા વિના પડી રહે, જેમા કે:
• કોઈ વિદ્યાર્થીને પ્રથમ વર્ગ મળતો નથી માટે ઇનામ માટે પાત્ર નથી.
• માત્ર એક વિદ્યાર્થી પ્રથમ વર્ગ નોંધાયો હોય અને માત્ર પ્રથમ ઈનામ આપવામાં આવે.
• સમુદાય માંથી કોઈ પરિણામો નિયત તારીખ સુધીમાં પ્રાપ્ત ના થાય.
• અથવા સંસ્થાના અંકુશ બહાર અન્ય કોઇ કારણ.

વધુ વ્યાજ આગામી વર્ષે મેળવી શકાય અને પછીના વર્ષોમાં પુરસ્કાર વિતરણ માટે વધુ રકમ ઉપલબ્ધ કરી શકાય તે માટે ચાલુ વર્ષની વિતરણ થયા વિનાની રકમને મૂળ રકમમાં ઉમેરીને વધુ રકમ ફિક્ષ ડીપોઝીટ કરવામાં આવશે.

ધોરણ ૧૦ અને ૧૨ નાં પરિણામની નકલો મોકલવા માટેનાં સરનામાં :

શ્રી હર્ષદભાઇ ઇશ્વરલાલ મિસ્ત્રી
સી/૧, ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી, છાણી જકાત નાકા પાસે,
વડોદરા ૩૯૦૦૨૪ ફોન: ૦૨૬૫-૨૭૭૬૧૫૫
શ્રી કનુભાઇ વલ્લવભાઇ સુથાર
૩૦૪/૪, કદમનગર, નિઝામપુરા,
વડોદરા ફોન: ૦૨૬૫-૨૭૭૫૬૯૭

 

*
{ Site Design, Development and Maintenance By : Indravadan I. Mistry (indravadanmistry@yahoo.co.uk) }
© Shri Charotar Vaishya Suthar Bandhu Samaj, Vadodara