|
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ આયોજીત પંચમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારંભ
તા. ૨૫ ડીસેમ્બર ૨૦૧૧
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા, તા ૨૮ એપ્રિલ ૨૦૧૨ ને વૈશાખ સુદી ૦૭, ૨૦૬૮ ના રોજ પંચમ સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર સમારંભ યોજી રહેલ છે.
સર્વે જ્ઞાતિજનોને નમ્ર વિનંતિ કે આ કાર્યક્રમનો લાભ લે અને પોતાના બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર આપવા માટે સમયસર નોંધણી કરાવે.
યજ્ઞોપવિત સંસ્કાર માટે નોંધણી કરાવવા માટેનું ફોર્મ અને વધુ માહિતી અહીથી મળશે. પંચમ યજ્ઞોપવિત કાર્યક્રમ ૨૦૧૨ ની વધુ માહિતી માટે અહીં ક્લિક કરો........... Posted on 25/12/2011
|
SAMAJ DARPAN PUSTIKA VIMOCHAN PROGRAM
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા દ્વારા પ્રકાશિત સમાજ દર્પણ પુસ્તિકાની તૃતિય આવૃત્તિનું વિમોચન કરવા માટેનો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ને રવીવારના રોજ સફળતા પૂર્વક સંપન્ન થયો. આ વર્ષે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ હતો. સમાજના બાળકોની પરીક્ષાઓ આ દિવસોમાં હોવાથી, જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું શક્ય ન હતું, માટે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી મોકુફ રાખવામાં આવી હતી. આથી શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન, ઇનામ વિતરણ કાર્યક્રમ અને સમાજ દર્પણ પુસ્તિકાના અનાવરણ નો સહિયારો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલ હતો.
ઉપરોક્ત સમારંભ માં સભાના પ્રમુખસ્થાને શ્રી કાંતિભાઇ એ. સુથાર (આણંદ), મુખ્ય અતિથિ શ્રી દલસુખભાઇ હિરાભાઇ સુથાર (આણંદ) તથા અતિથિ વિશેષ શ્રીમતિ મધુબેન કે. સુથાર ((U.S.A.) અને ડૉ. યજ્ઞેશભાઇ એ. સુથાર (બોરસદ) ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ ની શરૂઆત ડૉ. યજ્ઞેશભાઇ અંબાલાલ સુથાર દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. સમાજ દર્પણ પુસ્તિકાનું વિમોચન શ્રીમતિ મધુબેન કનુભાઇ સુથાર ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
સમારંભમાં જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાનું સંચાલન શ્રી પ્રફુલભાઇ નટવરલાલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતુ. સભાના અંતે સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી ગૌતમભાઇ રતિલાલ સુથાર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. અંતે મહા પ્રસાદના કાર્યક્રમ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. Posted on 27/02/2010
|
વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ ના વાર્ષિક હિસાબની તારીજ
 Posted on 09/02/2010
|
|
SHRI SHANTILAL FULABHAI CARPENTER, VIDYANAGAR
|
તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૨
અમેરિકા નિવાસી શ્રી જયંતકુમાર શાંતિલાલ ગજ્જર તથા શ્રી હરેશભાઇ શાંતિલાલ ગજ્જર ના પિતા શ્રી શાંતિલાલ ફુલાભાઇ કારપેંટર તા. ૨૪ જાન્યુઆરી ૨૦૧૨, મંગળવારના રોજ બપોરના લગભગ ૦૨:30 વાગ્યે વિદ્યાનગર મુકામે સ્વર્ગવાસી થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી જયંતકુમાર ગજ્જર તથા હરેશભાઇ ગજ્જર ના કુટુંબીજનોને શ્રી શાંતિલાલ ફુલાભાઇ કારપેંટર ની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી જયંતભાઇ ગજ્જર તથા હરેશભાઇ ગજ્જર ના કુટુંબીજનોના દુ:ખમાં શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સહભાગી થાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા, પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી હરેશભાઇ શાંતિલાલ ગજ્જર, યુ.એસ.એ.) |
Posted on 24/01/2012
|
SHRI MOHANBHAI KALIDAS SUTHAR, RASNOL
તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૨
રાસનોલ નિવાસી ડૉ. પ્રજ્ઞેશભાઇ મોહનભાઇ સુથારના પિતા શ્રી મોહનભાઇ કાળીદાસ સુથાર તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૨, શુક્રવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા ડૉ. પ્રજ્ઞેશભાઇ સુથારનાં કુટુંબીજનોને શ્રી મોહનભાઇ કાળીદાસ સુથાર ની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ડૉ. પ્રજ્ઞેશભાઇ સુથારના કુટુંબીજનોના દુ:ખમાં શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સહભાગી થાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા, પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કિરીટભાઇ અરવિંદભાઇ સુથાર, વડોદરા) Posted on 20/01/2012
|
G. SW. KAMALABEN AMBALAL SUTHAR, MAHOLEL (RASNOL)
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૨
મહોળેલ નિવાસી ડૉ. નવિનચંદ્ર અંબાલાલ સુથારનાં માતૃશ્રી ગં.સ્વ. કમળાબેન અંબાલાલ સુથાર તા. ૧૨ જાન્યુઆરી ૨૦૧૨, ગુરૂવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા ડૉ. નવિનચંદ્ર અંબાલાલ સુથારનાં કુટુંબીજનોને ગં. સ્વ. કમળાબેનની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ડૉ. નવિનચંદ્ર અંબાલાલ સુથારના કુટુંબીજનોના દુ:ખમાં શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સહભાગી થાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા, પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગતનું બેસણું તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ ને રવિવારના રોજ રાસનોલ મુકામે સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવેલ છે.
(સમાચાર સૌજન્ય : શ્રી હર્ષદભાઇ ઇશ્વરભાઇ મિસ્ત્રી, વડોદરા) Posted on 12/01/2012
|
GANGA SW. VIMALABEN SOMABHAI MISTRY, AKHADOL
તા. ૧૩ ડીસેમ્બર ૨૦૧૧
આખડોલ નિવાસી શ્રી જીતેંદ્રભાઇ સોમાભાઇ મિસ્ત્રી, આણંદ નિવાસી શ્રી ભાનુભાઇ મિસ્ત્રી તથા વિદ્યાનગર નિવાસી શ્રી પ્રવિણભાઇ સોમાભાઇ મિસ્ત્રીનાં માતૃશ્રી ગં.સ્વ. વિમળાબેન સોમાભાઇ મિસ્ત્રી તા. ૧૩ ડીસેમ્બર ૨૦૧૧, મંગળવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે.
પરમ કૃપાળુ પરમાત્મા ગં.સ્વ. વિમળાબેનનાં કુટુંબીજનોને તેમની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી પ્રવિણભાઇ સોમાભાઇ મિસ્ત્રીના કુટુંબીજનોના દુ:ખમાં શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સહભાગી થાય છે અને પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા, પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગતનું બેસણું તા. ૧૮ ડીસેમ્બર ૨૦૧૧ ને રવિવારના રોજ આણંદ મુકામે શ્રી વિશ્વકર્મા છાત્રાલય ખાતે સવારે ૦૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમ્યાન રાખવામાં આવેલ છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કનુભાઇ વલ્લવભાઇ સુથાર, વડોદરા) Posted on 13/12/2011
|
|