|
SAMAJ DARPAN PUSTIKA VIMOCHAN PROGRAM
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા દ્વારા પ્રકાશિત સમાજ દર્પણ પુસ્તિકાની તૃતિય આવૃત્તિનું વિમોચન કરવા માટેનો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ને રવીવારના રોજ સફળતા પૂર્વક સંપન્ન થયો. આ વર્ષે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન તા. ૨૮ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ હતો. સમાજના બાળકોની પરીક્ષાઓ આ દિવસોમાં હોવાથી, જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેવું શક્ય ન હતું, માટે શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિનની ઉજવણી મોકુફ રાખવામાં આવી હતી. આથી શ્રી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન, ઇનામ વિતરણ કાર્યક્રમ અને સમાજ દર્પણ પુસ્તિકાના અનાવરણ નો સહિયારો કાર્યક્રમ તા. ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૦ ના રોજ રાખવામાં આવેલ હતો.
ઉપરોક્ત સમારંભ માં સભાના પ્રમુખસ્થાને શ્રી કાંતિભાઇ એ. સુથાર (આણંદ), મુખ્ય અતિથિ શ્રી દલસુખભાઇ હિરાભાઇ સુથાર (આણંદ) તથા અતિથિ વિશેષ શ્રીમતિ મધુબેન કે. સુથાર ((U.S.A.) અને ડૉ. યજ્ઞેશભાઇ એ. સુથાર (બોરસદ) ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભ ની શરૂઆત ડૉ. યજ્ઞેશભાઇ અંબાલાલ સુથાર દ્વારા દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી. સમાજ દર્પણ પુસ્તિકાનું વિમોચન શ્રીમતિ મધુબેન કનુભાઇ સુથાર ના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું.
સમારંભમાં જ્ઞાતિના તેજસ્વી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સભાનું સંચાલન શ્રી પ્રફુલભાઇ નટવરલાલ ગજ્જર દ્વારા કરવામાં આવ્યું હતુ. સભાના અંતે સંસ્થાના ઉપ-પ્રમુખશ્રી ગૌતમભાઇ રતિલાલ સુથાર દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી. અંતે મહા પ્રસાદના કાર્યક્રમ બાદ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. Posted on 27/02/2010
|
વર્ષ ૨૦૦૮ - ૨૦૦૯ ના વાર્ષિક હિસાબની તારીજ
 Posted on 09/02/2010
|
|
SHRI RATILAL MANGALDAS SUTHAR, ANAND (NATIVE OF SAMARKHA)
તા. ૦૨ જુન ૨૦૧૦
સામરખાના વતની તથા હાલ આણંદ નિવાસી શ્રી રતિલાલ મંગળદાસ સુથાર તા. ૨ જુન ૨૦૧૦ને બુધવારના રોજ સવારે સ્વર્ગવાસી થયાં છે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી રતિલાલ મંગળદાસ સુથાર ના કુટુંબીજનોને શ્રી રતિલાલ ની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સ્વ. શ્રી રતિલાલના કુટુંબીજનોના દુ:ખ માં સહભાગી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રતિલાલના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કનુભાઇ વલ્લવભાઇ સુથાર, વડોદરા) Posted on 02/06/2010
|
SHRI SHIVRAMBHAI BHAGWANDAS SUTHAR, ASODAR
તા. ૨૪ મે ૨૦૧૦
આસોદર નિવાસી શ્રી શીવરામભાઇ ભગવાનદાસ સુથાર તા. ૨૪ મે ૨૦૧૦ને સોમવારના રોજ સવારે સ્વર્ગવાસી થયાં છે.
પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. શ્રી શીવરામભાઇ ભગવાનદાસ સુથાર ના કુટુંબીજનોને શ્રી શીવરામભાઇ ની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા સ્વ. શ્રી શીવારામભાઇના કુટુંબીજનોના દુ:ખ માં સહભાગી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી શીવરામભાઇ ના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી જશભાઇ વલ્લવભાઇ સુથાર, વાસણા (બો) ) Posted on 24/05/2010
|
SHRI RAMANBHAI SHANKARLAL SUTHAR, ANAND (NATIVE : TRANOL)
તા. ૦૫ મે ૨૦૧૦
અમેરીકા સ્થિત શ્રી સંદિપભાઇ રમણભાઇ સુથાર તથા શ્રી અનિલભાઇ રમણભાઇ સુથારના પિતાશ્રી આણંદ નિવાસી અને ત્રણોલના વતની શ્રી રમણભાઇ શંકરલાલ સુથાર તા. ૦૫ મે ૨૦૧૦ને બુધવારના રોજ સ્વર્ગવાસી થયાં છે.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સંદિપભાઇ તથા શ્રી અનિલભાઇ તથા તેમના કુટુંબીજનોને શ્રી રમણભાઇ શંકરલાલ સુથાર ની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
સદગત શ્રી રમણભાઇની અંતિમક્રિયા તા. ૦૮ મે ૨૦૧૦ ને શનિવારના રોજ આણંદ મુકામે કરવામાં આવશે.
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા શ્રી સંદિપભાઇ તથા શ્રી અનિલભાઇ તથા તેમના કુટુંબીજનોના દુ:ખ માં સહભાગી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રમણભાઇના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કિરીટભાઇ અરવિંદભાઇ સુથાર, વડોદરા) Posted on 05/05/2010
|
SMT. GEETABEN ATULKUMAR SUTHAR, AJARPURA
તા. ૨૦ એપ્રિલ ૨૦૧૦
અજરપુરાના વતની શ્રી અતુલકુમાર રમેશભાઇ સુથાર ના ધર્મપત્નિ શ્રીમતિ ગીતાબેન અતુલકુમાર સુથાર તા. ૨૦ એપ્રિલ ૨૦૧૦ને મંગળવારના રોજ સ્વર્ગવાસી થયાં છે.
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી અતુલકુમાર તથા તેમના કુટુંબીજનોને શ્રીમતિ ગીતાબેનની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા શ્રી અતુલકુમાર તથા તેમના કુટુંબીજનોના દુ:ખ માં સહભાગી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમતિ ગીતાબેનના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
સદગતનું બેસણું તા. ૨૫ એપ્રિલ ૨૦૧૦ ને રવિવારના રોજ અજરપુરા ખાતે રાખવામાં આવેલ છે.
(સમાચાર સૌજન્ય : શ્રી કનુભાઇ વ. સુથાર, વડોદરા) Posted on 20/04/2010
|
SHRI VASUDEVBHAI GORDHANBHAI SUTHAR, (CHHANI), U.S.A.
તા. ૧૮ માર્ચ ૨૦૧૦
છાણીના વતની અને હાલમાં યુ.એસ.એ. નિવાસી તથા શ્રી કનુભાઇ ડી સુથાર(U.S.A.)ના સાળાશ્રી શ્રી વાસુદેવભાઇ ગોરધનભાઇ સુથાર તા. ૧૭ માર્ચ ૨૦૧૦ને ગુરૂવારના રોજ યુ.એસ.એ. ખાતે સ્વર્ગવાસી થયા છે.
પરમ કૃપાળુ પરમાત્મા પુત્ર શ્રી સમીરભાઇ તથા ધર્મપત્નિ શાંતાબેન તથા કુટુંબીજનોને શ્રી વાસુદેવભાઇની દુ:ખદ વિદાયનું દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા શ્રી સમીરભાઇ તથા શાંતાબેન તથા તેમના કુટુંબીજનોના દુ:ખ માં સહભાગી થાય છે. પરમ કૃપાળુ પરમાત્મા શ્રી વાસુદેવભાઇના આત્માને પોતાની નિશ્રામાં ચિર શાંતિ અર્પે તેવી, શ્રી ચરોતર વૈશ્ય સુથાર બંધુ સમાજ, વડોદરા પ્રભુને પ્રાર્થના કરે છે.
(સમાચાર સૌજન્ય : શ્રી અશ્વિનભાઇ ઇશ્વરભાઇ મિસ્ત્રી, વડોદરા) Posted on 18/03/2010
|
|